સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી ભારતના ધ્વજવાળું એલપીજી જહાજ સલામત નીકળ્યું – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Deendayal Port Authority Kandla
ભારતના ધ્વજવાળું જહાજ ગ્રીન સાન્વી શુક્રવારે રાત્રે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, તેમાં લગભગ 46 હજાર 650 મેટ્રિક ટન એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ) ભરેલો છે.
સૂત્રોને ટાંકતા એજન્સી લખે છે કે ભારતીય નેવી વેપારી જહાજોને અવરજવરમાં મદદ કરવા માટે 'સ્ટેન્ડ-બાય' છે.
ભારત સરકારના જહાજ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલના કહેવા પ્રમાણે, હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતનાં 18 જેટલાં જહાજ અટવાયેલાં છે, જેની ઉપર 485 ક્રૂ મૅમ્બર સવાર છે. અત્યાર સુધીમાં જહાજોના 964 જેટલા ક્રૂ મૅમ્બર્સ ભારત પરત ફર્યા છે અને પોત-પોતાના ઘરે સલામત પહોંચી ગયા છે.
સરકારનું કહેવું છે કે ખાડી દેશોમાં સંકટ ઊભું થયું, ત્યારથી અત્યાર સુધીમાં પાંચ લાખ 98 હજાર લોકો ભારત પરત ફર્યા છે.
તા. 28મી ફેબ્રુઆરીના રોજ ઈરાન ઉપર અમેરિકા-ઇઝરાયલે હુમલા કર્યા, એ પછી ઈરાને વળતા હુમલા કર્યા છે, જેના કારણે વિશ્વના આ ભૂભાગમાં અશાંતિ સર્જાઈ છે, જેના કારણે વૈશ્વિકસ્તરે ઊર્જાઉત્પાદનોની તંગી ઊભી થઈ છે.
ગત શનિવારે એલપીજી કૅરિયર 'જગ વસંત' વાડીનાર બંદરે પહોંચ્યું હતું, જ્યાંથી તેનો ગૅસ અન્ય જહાજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
ઈરાની હુમલામાં એક ઇઝરાયલી વ્યક્તિ ઘાયલ, સીરિયામાં પણ સંભળાયા વિસ્ફોટો

ઇમેજ સ્રોત, Issam Rimawi/Anadolu via Getty
ઇઝરાયલની મૅગન ડૅવિડ એડોમ (એમડીએ) ઇમર્જન્સી સર્વિસે કહ્યું છે કે ઈરાની મિસાઇલ હુમલાને રોકવાની કાર્યવાહી વચ્ચે એક વ્યક્તિ ઘાયલ થઈ છે.
એમડીએના જણાવ્યા પ્રમાણે, 45 વર્ષની એક વ્યક્તિને તેલ અવીવના બહારી વિસ્તાર બનેઈ બ્રાક શહેરમાં કાંચના ટુકડાને કારણે હળવી ઈજા થઈ છે. તેમને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાં સીરિયામાં સરકારી ટીવીએ જણાવ્યું છે કે શનિવારે વહેલી સવારે રાજધાની દમિશ્ક તથા તેની આસપાસના વિસ્તારોમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. રૉયટર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ધમાકાનું કારણ સ્પષ્ટ નથી.
સરકારી ટીવીનું કહેવું છે કે આ વિસ્ફોટો ઇઝરાયલી ઍર ડિફેન્સ સિસ્ટમ તરફથી ઈરાની મિસાઈલોને હવામાં રોકવાને કારણે થયા હોવા જોઈએ.
આર્ટેમિસ-2ના ક્રૂ દ્વારા અંતરિક્ષથી પૃથ્વીની લેવાયેલી આ તસવીરો જુઓ

ઇમેજ સ્રોત, Nasa/Reid Wiseman
નાસાએ ચંદ્રની ચારો તરફ પોતાની યાત્રા પર જઈ રહેલા આર્ટેમિસ-2ના ક્રૂ તરફથી લેવાયેલી પૃથ્વીની પહેલી હાઈ- રિઝોલ્યૂશન તસવીર શૅર કરી છે.
નાસા પ્રમાણે, મિશનના કમાન્ડર રીડ વાઇસમૅને આ શાનદાર તસવીરો એ સમયે લીધી જ્યારે ક્રૂએ અંતિમ એન્જિન બર્ન પૂર્ણ કર્યું. આ બર્ન બાદ તેમને ચંદ્રમાની દિશામાં આગળ વધાર્યા.
પહેલી તસવીર 'હૅલો, વર્લ્ડ' નામ આપવામાં આવ્યું છે. જેમાં ઍટલાન્ટિક મહાસાગર જોવા મળે છે. જેની ચારો તરફ વાયુમંડળની હલકી ચમક છે. આ દરમિયાન પૃથ્વી સૂર્યને આંશિક રૂપથી ઢાંકતી હોય તેવું દેખાય છે. બંને ઘ્રુવો પર હલી ઑરોરા રોશની પણ નજરે પડે છે.
આ તસવીરમાં પૃથ્વી ઉલટી દેખાય છે, જેમાં ડાબી બાજુ પશ્ચિમી સહારા અને આઇબેરિયન પ્રાયદ્વીપ નજરે પડે છે. જ્યારે કે જમણી બાજુ દક્ષિણ અમેરિકાનો પૂર્વ ભાગ દેખાય છે.

ઇમેજ સ્રોત, Nasa/Reid Wiseman

ઇમેજ સ્રોત, Nasa/Reid Wiseman

ઇમેજ સ્રોત, Nasa/Reid Wiseman

ઇમેજ સ્રોત, Nasa/Reid Wiseman
ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાના કેટલા સૈનિકો ઘાયલ થયા?

ઇમેજ સ્રોત, Getty Images
પેન્ટાગોન તરફથી જારી આંકડા પ્રમાણે, અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધી કુલ 365 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે.
સશસ્ત્રદળની અલગ-અલગ શાખાઓના હિસાબે ઘાયલોની સંખ્યા આ પ્રકારે છે.
આર્મી – 247
નેવી- 63
મરીન- 19
ઍરફોર્સ- 36
આંકડા પ્રમાણે યુદ્ધમાં મૃતક અમેરિકન સૈનિકોની સંખ્યા 13 છે.
ઈરાની સરકારી મીડિયાનો વધુ એક અમેરિકન વિમાન તોડી પડાયાનો દાવો

ઇમેજ સ્રોત, CHRISTOF STACHE/AFP via Getty
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી પર્શિયન સેવાના સંવાદદાતા ગોંચેહ હબીબીઆઝાદ પ્રમાણે, ઈરાનના સરકારી મીડિયાનું કહેવું છે કે ઈરાની સૈન્યે કહ્યું છે કે તેણે વધુ એક અમેરિકન એ-10 વિમાન તોડી પાડ્યું છે.
તેમજ બીબીસી ન્યૂઝના અમેરિકન સહયોગી સીબીએસ ન્યૂઝને અમેરિકાના બે અધિકારીઓએ કહ્યું કે ઈરાનમાં એફ-15 ફાઇટર પ્લેનના બચાવ અભિયાનમાં સામેલ બે અમેરિકન વિમાન પર ગોળીબાર થયો છે.
સીબીએસ ન્યૂઝ પ્રમાણે, શોધખોળ અને બચાવ અભિયાનમાં સામેલ એ-10 વૉરથોગ વિમાન પર હુમલો થયો, જે બાદ પાઇલટે અખાતની ઉપર ઇજેક્ટ કર્યું, જ્યાં તેમને બચાવી લેવાયા.
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે શું આ એ જ વૉરથોગ છે, જે અંગે સીબીએસ ન્યૂઝે કહ્યું હતું કે તેને એફ-15ઈના શોધખોળ અને બચાવ અભિયાન દરમિયાન નિશાન બનાવાયું હતું.
સીબીએસનું કહેવું છે કે આ શોધખોળ અભિયાનમાં બે હેલિકૉપ્ટર પણ સામેલ હતાં, જેમણે પહેલાં થયેલા અકસ્માતમાં એફ-15ઈના બે પાઇલટો પૈકી એકને બચાવ્યો.
રિપોર્ટમાં કહેવાયું છે કે બચાવાયેલા પાઇલટને લઈ જઈ રહેલા હેલિકૉપ્ટર પર નાનાં હથિયારો વડે ફાયરિંગ થયું હતું, જેમાં તેમાં સવાર ક્રૂ સભ્ય ઘાયલ થયા. હેલિકૉપ્ટર સુરક્ષિત ઊતરી ગયું અને કર્મચારીઓનો ઇલાજ ચાલી રહ્યો છે.
રિપોર્ટ પ્રમાણે, તોડી પડાયેલા એફ-15ના બીજા પાઇલટની શોધખોળ હજુ પણ ચાલુ છે.
બીબીસી પર્શિયન સેવાના સંવાદદાતા હબીબીઆઝાદ પ્રમાણે, ઈરાનની સરકારી ટીવીએ ઈરાની સૈન્યના હવાલાથી જણાવ્યું છે કે 'એક અમેરિકન એ-10 વિમાનને આર્મી ઍર ડિફેન્સ ફોર્સની ડિફેન્સ સિસ્ટમે નિશાન બનાવી હતી અને એ દક્ષિણ ઈરાનમાં પર્શિયન અખાતમાં પડ્યું.'
રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે તેને હોર્મુઝની સામુદ્રધુનીની આસપાસ તોડી પડાયું.
ઈરાનમાં તોડી પાડેલા અમેરિકન ફાઇટર પ્લેનના 'ગુમ પાઇલટ' અંગે ડેપ્યુટી ગવર્નરે શું કહ્યું

ઇમેજ સ્રોત, EPA/Shutterstock
ઈરાનના દક્ષિણ પ્રાંત કોહલિગુયેહ-બોયેરઅહમદના ડેપ્યુટી ગવર્નરે કહ્યું છે કે તોડી પડાયેલા અમેરિકન એફ-15 ફાઇટર પ્લેનના 'ગુમ પાઇલટ'ની શોધખોળ માટે સર્ચ ઑપરેશન હજુ પણ 'પૂરી તાકત' સાથે ચાલુ છે.
બીજી તરફ મીડિયા રિપોર્ટો પ્રમાણે અમેરિકા તરફથી પણ ફાઇટર પ્લેન અને હેલિકૉપ્ટરો દ્વારા પાઇલટને શોધવાના 'વ્યાપક પ્રયાસો' ચાલુ છે.
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ફાર્સના એક રિપોર્ટ અનુસાર, ડેપ્યુટી ગવર્નરનું કહેવું છે કે 'પોલીસ, સુરક્ષા દળ અને સ્થાનિક લોકો પાઇલટની ઓળખ કરવા અને તેને પકડવાના પ્રયાસમાં જોતરાયેલા છે' અને તેમણે લોકોને અપીલ કરી છે કે જો 'ગુમ થયેલા પાઇલટ' વિશે કોઈ પણ માહિતી મળે તો તેઓ અધિકારીઓનો સંપર્ક કરે.
જોકે, વિમાન ક્યાં પડ્યું છે, તેની બરાબર ખબર નથી, પરંતુ અત્યાર સુધી ઈરાનના સરકારી મીડિાયમાં જે બે પ્રાંતનાં નામ વારંવાર સામે આવ્યાં છે, એ છે કોહગિલુયેહ-બોયેરઅહમદ અને ખુજેસ્તાન.
શુક્રવારના રોજ અમેરિકન એફ-15 ફાઇટર પ્લેન ઈરાનના દક્ષિણ ભાગમાં તોડી પડાયાના સમાચાર આવ્યા હતા. બીબીસીના અમેરિકન ભાગીદાર સીબીએસ ન્યૂઝનાં બે સૂત્રોએ આની પુષ્ટિ કરી હતી.
સૂત્રોએ સીબીએસ ન્યૂઝને એવું પણ જણાવ્યું કે તોડી પડાયેલા એફ-15 ફાઇટર પ્લેનના ચાલકદળના એક સભ્યને બચાવી લેવાયા છે.
અબુ ધાબીમાં મિસાઇલનું કાટમાળ પડતાં 12 લોકો ઈજાગ્રસ્ત, તેમાં પાંચ ભારતીય પણ સામેલ

ઇમેજ સ્રોત, Ryan Lim / AFP via Getty Images
શુક્રવારે અબુ ધાબીમાં અધવચ્ચે તોડી પડાયેલી એક મિસાઇલના કાટમાળથી 12 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમાં પાંચ ભારતીય નાગરિક પણ સામેલ હતા.
ન્યૂઝ એજ્સી પીટીઆઇ પ્રમાણે, અબુ ધાબી મીડિયા ઑફિસે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ ઘટનામાં પાંચ ભારતીય અને છ નેપાળી નાગરિકોને હળવીથી મધ્યમ ઈજાઓ થઈ છે.
તેમાં કહેવાયું કે અન્ય એક નેપાળી નાગરિકને પણ ઈજા થઈ છે. આ ઘટના અબુ ધાબીના અજ્બાન વિસ્તારમાં ત્યારે થઈ જ્યારે વાયુ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા 'એક મિસાઇલને સફળતાપૂર્વક રોકી લેવાઈ' ત્યાર બાદ તેનો કાટમાળ નીચે પડ્યો.
આ ઘટના અંગે ભારત તરફથી કોઈ નિવેદન નથી આવ્યું.
28 ફેબ્રુઆરીના રોજ મધ્ય પૂર્વમાં શરૂ થયેલા સંઘર્ષ બાદ અત્યાર સુધી આઠ ભારતીય નાગરિકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને ઘણા અન્ય ઈજાગ્રસ્ત થયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























