ખાંડ શરીરમાં જતાં જ કેમ ઝેર બની જાય છે?
ખાંડ શરીરમાં જતાં જ કેમ ઝેર બની જાય છે?
ફળ સ્વાદિષ્ટ લાગે છે કેમ કે તેની વિશેષ શર્કરા હોય છે જેને આપણે ફ્રૂક્ટોસ તરીકે ઓળખીએ છીએ.
પણ ડાયાબિટીસની વાત આવે ત્યારે અમૂક ફ્રૂક્ટોસ અને ગ્લુકોઝની કેમ ના પાડવામાં આવી છે.
ફળોમાં ફ્રૂક્ટોસ અને ગ્લુકોઝ પણ હોય છે, પણ તેની માત્રા બહુ ઓછી હોય છે, જ્યારે સફેદ ખાંડ અને કૉર્ન સિરપમાંથી મળે તેવી શર્કરાનો જ એક હિસ્સો એટલે ફ્રૂક્ટોસ અને ગ્લુકોઝ.
સોસ, મીઠાઈ, સૉફ્ટડ્રિન્ક સહિતના તૈયાર ખાદ્યપદાર્થોમાં આ બંને મીઠા પદાર્થોનો ઉપયોગ થાય છે. આ પદાર્થોનો વધુ ઉપયોગ મુશ્કેલી સર્જી શકે છે. જે ઘણા અંશે આપણા સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન કરનારી ગણાય છે.
આ પ્રકારની શર્કરા શરીરમાં કયા પ્રકારના રોગોને નોતરી શકે છે તથા તે શરીરમાં જઈને કેવી રીતે કામ કરે છે, તેના વિશે જાણો, જેથી કરીને સતર્ક રહી શકાય.
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન