ઈરાની ડ્રૉને કુવૈત અને બહેરિનનાં ઊર્જા ઠેકાણાં પર કર્યો હુમલો – ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 4 મિનિટ

બીબીસી ફારસી સેવાના જણાવ્યા પ્રમાણે, બહેરિનની બીએપીસીઓ ઍનર્જીએ રવિવારે કહ્યું છે કે ઈરાની હુમલામાં તેમની સ્ટોરેજ ટૅન્કમાં આગ લાગી ગઈ.

કંપનીના જણાવ્યા પ્રમાણે, હુમલામાં કોઈના નુકસાન થયાની કોઈ જાણકારી નથી. કંપનીએ કહ્યું છે કે આગ કાબૂમાં આવી ગઈ છે અને નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.

બીએપીસીઓ ઍનર્જી કંપની બહેરિનની સૌથી મોટી ઑઇલ કંપનીઓ પૈકીની એક છે.

આ પહેલા બીબીસી ફારસીએ રિપોર્ટ કર્યું હતું કે કુવૈતની સરકારે કહ્યું છે કે ઈરાની ડ્રૉન હુમલામાં તેના બે વીજળી સંયંત્રો તથા એક પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ ક્ષતિગ્રસ્ત થઈ ગયાં છે.

આ પહેલાં થયેલા હુમલામાં કુવૈતની એક સરકારી કચેરીના પરિસરને ઘણું નુકસાન પહોંચ્યું હતું. કુવૈતના પેટ્રોલિયમ મંત્રાલયમાં આગ લાગી ગઈ હતી.

જે વિસ્તારમાં લાપતા અમેરિકન ક્રૂ મેમ્બર હોવાની હતી આશંકા, ત્યાં શું થયું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એફ-15ઈ ફાઇટર જેટના લાપતા ક્રૂ સભ્યને બચાવ્યા હોવાની આધિકારિક પુષ્ટિ કરી દીધી છે.

આ પહેલાં ઈરાની સરકારી મીડિયાએ દાવો કર્યો હતો કે જે વિસ્તારમાં અમેરિકનો હોવાની આશંકા હતી તે વિસ્તારમાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.

ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી) સાથે જોડાયેલી ન્યૂઝ એજન્સી તસ્નીમ ન્યૂઝ એજન્સીએ પહેલા એક સ્થાનિક ગવર્નર મારફતે કહ્યું હતું કે દક્ષિણ ઈરાનના કોહગિલુયેહ તથા હોયર-અહમદ પ્રાંતના એક પહાડી ક્ષેત્રમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા.

ગવર્નરે આ હુમલા માટે અમેરિકા તથા ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યા.

પ્રાંતના ઉપ ગવર્નર ફત્તાહ મોહમ્મદીએ સ્થાનિક ઈરાની મીડિયાને જણાવ્યું કે મરનારાની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે.

આ સ્પષ્ટ નથી કે હુમલા લાપતા અમેરિકન ઍરમૅનના રૅસ્ક્યૂ અભિયાન સાથે સંકળાયેલા હતા કે નહીં.

ઈરાનનો દાવો : લાપતા થયેલા ઍરમૅનની તલાશ દરમિયાન અમેરિકાનું ડ્રૉન તોડી પડાયું

અમેરિકાએ દાવો કર્યો છે કે ઈરાનમાં તોડી પાડવામાં આવેલા અમેરિકન એફ-15ઈ લડાકુ વિમાનના બીજા ક્રૂ સભ્યને બચાવી લેવાયા છે.

સૌથી પહેલા અમેરિકાના મીડિયાએ આ દાવો કર્યો અને પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેવો જ દાવો કર્યો.

આ બધા વચ્ચે ઈરાની રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી)ના પ્રવક્તાના હવાલે કહેવાયું છે કે ઈરાની સેનાએ લાપતા થયેલા ઍરમૅનની તલાશ દરમિયાન એક અમેરિકાનું ડ્રૉન તોડી પાડ્યું છે.

આઈઆરજીસીના જનસંપર્ક કાર્યાલયના હવાલે સરકારી ન્યૂઝ એજન્સી ફાર્સ તથા આઈઆરજીસી સાથે જોડાયેલી તસ્મિમ ન્યૂઝ એજન્સીએ કહ્યું કેઅમેરિકાનું ડ્રૉન ઈરાનના દક્ષિણ ઇસ્ફહાન પ્રાંતમાં પડ્યું હતું.

ઈરાનના દાવા પર અમેરિકાએ હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ ઇઝરાયલ તરફ છોડી મિસાઇલ

યમનમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓનું કહેવું છે કે તેમણે ઇઝરાયલ તરફ એક મિસાઇલથી હુમલો કર્યો છે.

આ પહેલાં ઇઝરાયલની સેનાનું કહેવું હતું કે તેની ઍર ડિફેન્સ સિસ્ટમ દ્વારા યમન તરફથી છોડવામાં આવેલી મિસાઇલને રોકે છે. પછી ઇઝરાયલે ઘોષણા કરી કે હવે તેના લોકો સુરક્ષિત છે અને શેલ્ટરની બહાર નીકળી શકે છે.

છેલ્લા એક સપ્તાહમાં હૂતીએ ઘણા હુમલા કર્યા છે. 28મી માર્ચે ઇઝરાયલના હુમલા સામે હૂતીએ ઘણી મિસાઇલ છોડી હતી. આ ઈરાન સાથે અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધ શરૂ થયા બાદ હૂતીઓનો પહેલો હુમલો છે.

'તહેરાન હુમલામાં ઈરાની સેનાના ઘણા વરિષ્ઠ નેતાઓ માર્યા ગયા', ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પ્લૅટફૉર્મ પર એક વીડિયો શૅર કર્યો છે, જે મામલે તેમનું કહેવું છે કે ઈરાનની રાજધાની તહેરાન પર ભીષણ હુમલો તેમાં દેખાડાયો છે.

તેમણે દાવો કર્યો કે 'ઈરાની સેનાના ઘણા શીર્ષ અધિકારી, તેમણે અયોગ્ય અને વગર સમજ્યે સેનાનું નેતૃત્વ કર્યું, આ હુમલા બાદ ખતમ થઈ ગયા છે.'

ટ્રમ્પે કહ્યું, "બીજું બધું પણ તબાહ થયું છે."

વીડિયોમાં રાત્રે મોટા વિસ્ફોટો દૃશ્યમાન થાય છે. જોકે એ સ્પષ્ટ નથી કે આ વીડિયો ક્યાંનો છે અને તેને ક્યારે રેકૉર્ડ કરવામાં આવ્યો.

અમેરિકા તરફથી તે વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી. ટ્રમ્પના દાવા પર ઈરાનની કોઈ પ્રતિક્રિયા નથી આવી.

'તમારા માટે નરકના દરવાજા ખૂલી જશે', ટ્રમ્પની 48 કલાકની ધમકી પર ઈરાને શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાનના ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે તીખી પ્રતિક્રિયા આપી છે.

ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે "મેં ઈરાનને સમજૂતી કરવા કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે દસ દિવસનો સમય આપ્યો હતો. સમય સમાપ્ત થઈ રહ્યો છે. તેના પર કેર વર્તાવવા માટે માત્ર 48 કલાક બાકી છે."

બીબીસી ફારસી સેવા પ્રમાણે, ટ્રમ્પની ટિપ્પણી પર ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના કમાન્ડર મેજર જનરલ અલી અબ્દુલ્લાહીનું નિવેદન આવ્યું છે.

તેમણે કહ્યું, "અમેરિકાના હુમલાની સ્થિતિમાં, અમે તેમની આતંકવાદી સેના સાથે જોડાયેલાં તમામ ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર તથા જાયોની શાસન સાથે જોડાયેલાં ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર પર સતત હુમલા કરીશું."

અબ્દુલ્લાહીએ કહ્યું, "અમારા પર થોપવામાં આવેલું યુદ્ધ અમે શરૂ કર્યું છે. અમે જે કહ્યું છે તે અમે કર્યું છે. આ સંદેશનો સીધો અર્થ એ છે કે નરકના દ્વાર તારા માટે ખૂલી જશે."

ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તા કર્નલ ઇબ્રાહિમ જુલ્ફકારીએ પણ એક વીડિયો સંદેશ જારી કર્યો છે. જોકે તેમાં ટ્રમ્પની ધમકીની વાતનો ઉલ્લેખ નથી.

બીબીસી ફારસી સેવા પ્રમાણે, જુલ્ફકારીએ કહ્યું, "એ ન ભૂલવું જોઈએ કે જો બુરાઈ ફેલાય છે, તો આખું ક્ષેત્ર નરક બની જશે. ઈરાનના ઇસ્લામી ગણરાજ્યની હારનો ભ્રમ તારા માટે દલદલ બની ગયો છે, જેમાં તમે ડૂબી જશો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન