ખુશ રહેવા માટે અપનાવો આ પાંચ ટીપ્સ
- વાંચવાનો સમય: 2 મિનિટ
જો તમે ખુશીનો અનુભવ કરી રહ્યાં નથી, તો ચિંતા ન કરો. કેમ કે તમે ખુશ વ્યક્તિ કેવી રીતે બનવું તે શીખી શકો છો.
ઇમેજ સ્રોત, Getty Images
જે રીતે ગીતકારો અને રમતવીરો સતત પ્રૅક્ટિસ કરીને તેમની કળા શીખે છે, અને આગળ વધે છે, તે જ રીતે તમારે પણ આગળ વધવાની જરુર છે.
અમેરિકાની યેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર લૉરી સેન્ટોઝ જણાવે છે, "કોઈ વ્યક્તિ આમ જ ખુશ થઈ જતી નથી. ખુશ રહેવા માટે પણ પ્રૅક્ટિસ કરવાની જરુર પડે છે."
317 વર્ષનો ઇતિહાસ ધરાવતી યેલ યુનિવર્સિટીનાં પ્રોફેસર લૉરીનાં ક્લાસ "સાયકૉલૉજી એન્ડ ધ ગુડ લાઇફ" ખૂબ પ્રખ્યાત છે. આ ક્લાસ સાથે 1200 વિદ્યાર્થીઓ જોડાતાં રૅકૉર્ડ તૂટ્યો છે.
પ્રોફેસર સેન્ટોઝે પાંચ ટીપ્સ આપી છે કે જેનાથી એક વ્યક્તિ ખુશ રહી શકે છે.
1. કૃતજ્ઞતાની યાદી બનાવો
ઇમેજ સ્રોત, Getty Images
સેન્ટોઝ તેમનાં વિદ્યાર્થીઓને કહે છે કે તેમણે એવાં લોકોની યાદી બનાવવી જોઈએ કે જેમના તેઓ આભારી છે.
તેને કૃતજ્ઞતાની યાદી કહેવામાં આવે છે.
સેન્ટોઝ કહે છે, "સાંભળવામાં તો આ સહેલું લાગે છે, પણ અમે જોયું છે કે જે વિદ્યાર્થીઓએ આ રીત અપનાવી છે તેઓ ખરેખર ખુશ થયા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2. વધારે અને સારી રીતે ઊંઘો
ઇમેજ સ્રોત, Getty Images
મોટો પડકાર છે કે એક અઠવાડિયા સુધી દરેક રાત્રિ દરમિયાન 8 કલાકની ઊંઘ લેવી.
સેન્ટોઝ કહે છે કે આ સીધી એવી રીત અપનાવવી ખરેખર ખૂબ અઘરી છે.
સેન્ટોઝ કહે છે, "સારી રીતે અને વધારે ઊંઘવાથી વ્યક્તિ તણાવથી બચી શકે છે અને સકારાત્મક વલણ ધરાવે છે."
3. મનમાં ચિંતન કરો
ઇમેજ સ્રોત, Getty Images
દરરોજ 10 મિનિટ મેડિટેશન કરો.
સેન્ટોઝ કહે છે કે જ્યારે તેઓ વિદ્યાર્થિની હતાં, ત્યારે નિયમિત મેડિટેશનથી તેમને ખૂબ સારો અનુભવ થતો હતો.
હવે તેઓ પ્રોફેસર છે, તેઓ પોતાનાં વિદ્યાર્થીઓને જણાવે છે કે મેડિટેશન અને તેના જેવી બીજી પ્રવૃત્તિઓ તમારા મનની એકાગ્રતા જાળવી રાખવામાં મદદ કરે છે અને તેમને ખુશ રાખે છે.
4. પરિવાર અને મિત્રો સાથે વધારે સમય વિતાવો
ઇમેજ સ્રોત, Getty Images
સેન્ટોઝના આધારે નવા સંશોધન સામે આવ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે જો પરિવાર અથવા મિત્રો સાથે સારો એવો સમય વિતાવવામાં આવે તો તે વ્યક્તિને ખુશ રાખે છે.
લોકો સાથે સમય વિતાવવો, તેમની સાથે વાત કરવી અને સોશિયલ કનેક્શન જાળવી રાખવાથી તમારી ખુશીનો વિકાસ થાય છે.
5. સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરો અને વાસ્તવિક સંબંધ વધારો
ઇમેજ સ્રોત, Getty Images
સેન્ટોઝનું માનવું છે કે સોશિયલ મીડિયા આપણને ખુશી આપી શકે છે પણ તે ખુશી નકલી ખુશી હોય છે. એટલે સોશિયલ મીડિયાનો જીવન પર એટલો પ્રભાવ ન હોવો જોઈએ.
"નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો સોશિયલ મીડિયા જેમ કે ઇન્સ્ટાગ્રામ વધારે વાપરે છે તેઓ સોશિયલ મીડિયા ન વાપરતા લોકોની સરખામણીએ ઓછા ખુશ હોય છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી