ગુજરાતના ખેડૂતોને ડુંગળી કેમ રડાવી રહી છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતના ખેડૂતોને ડુંગળી કેમ રડાવી રહી છે?

દુનિયાભરમાં જ્યારે કાંદા એટલે કે ડુંગળીના ભાવો આસમાને છે ત્યારે ભારતમાં આ જ કાંદા ખેડૂતોએ કોડીના ભાવે વેચવાનો વારો આવ્યો છે.

સરકારે ખેડૂતો પાસે ડુંગળી ખરીદવાનો નિર્દેશ કર્યો છે પરંતુ છતાં સમસ્યા બહુ સુધરી નથી.

નવાઇની વાત એ છે કે એક તરફ ખેડૂતોને ડુંગળીનો ભાવ મળતો નથી અને છુટક બજારમાં ડુંગળી 35 રૂપિયા કિલો વેચાઈ રહી છે.

ત્યારે સમજીશું કે ભારતમાં ખેડૂતોને ડુંગળીના ભાવો કેમ નથી મળતા તે સમજીશું પરંતુ પહેલા જોઈએ કે વૈશ્વિક બજારમાં ડુંગળીના ભાવો આસમાને કેમ છે?