ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પરમાણુ હથિયારના ઉપયોગ વિશે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Will Oliver/EPA/Bloomberg via Getty
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સામે પરમાણુ હથિયારનો ઉપયોગ સાથે જોડાયેલા એક સવાલને 'મૂર્ખતાપૂર્ણ' ગણાવ્યો છે.
તેમનું કહેવું છે કે તેઓ ઈરાનની સામે પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરે અને સાથે તેમણે કહ્યું કે આ પ્રકારનો 'મૂર્ખતાપૂર્ણ' સવાલ ન પૂછવો જોઈએ.
ઓવલ ઑફિસમાં મીડિયા સાથેની વાતચીતમાં એક પત્રકારે તેમને પૂછ્યું, "શું તમે ઈરાન સામે પરમાણુ હથિયારનો ઉપયોગ કરશો?"
તેમણે કહ્યું, "નહીં, આ પ્રકારનો બેવકૂફીભર્યો સવાલ કેમ પૂછવામાં આવી રહ્યો છે?"
તેમણે કહ્યું, "હું પરમાણુ હથિયારનો ઉપયોગ શા માટે કરું, જ્યારે કે અમે તેના વગર જ ઈરાનને તબાહ કરી નાખ્યું છે?"
ટ્રમ્પે એમ પણ કહ્યું કે "પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની અનુમતિ કોઈને પણ ન આપવી જોઈએ."
ટ્રમ્પનું ઍલાન, 'ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ ત્રણ સપ્તાહ માટે લંબાવાયો'

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી છે કે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે સીઝફાયરને ત્રણ સપ્તાહ માટે લંબાવાયો છે.
ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ પર તેમણે કહ્યું કે આ નિર્ણય ઓવલ ઑફિસમાં ઇઝરાયલી અને લેબનોની અધિકારીઓ વચ્ચે થયેલી બેઠકમાં લેવામાં આવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પે કહ્યું કે આ બેઠક 'બહુ સારી' રહી. જેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ તથા વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ ઉપસ્થિત હતા.
તેમણે લખ્યું, "અમેરિકા લેબનોન સાથે મળીને કામ કરશે. જેમાં તેઓ હિઝ્બુલ્લાહથી પોતાની સુરક્ષા કરી શકે."
આ ઉપરાંત તમણે આવનારા સમયમાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તથા લેબનોનના રાષ્ટ્રપતિ જૉસેફ ઔનની યજમાની કરવાની પણ વાત કહી.
થોડી વાર પછી ઓવલ ઑફિસમાં ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરી. તે દરમિયાન ટ્રમ્પ ઉપરાંત વેન્સ અને રુબિયો ઉપરાંત લેબનોન તથા ઇઝરાયલમાં અમેરિકાના રાજદૂત અને અમેરિકામાં બંને દેશોના રાજદૂત પણ ઉપસ્થિત હતા.
ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી વાતને ફરી કહેતા જણાવ્યું કે લેબનોની રાષ્ટ્રપતિ અને ઇઝરાયલી વડા પ્રધાન આવનારા સપ્તાહમાં વ્હાઇટ હાઉસ આવશે.
ભારતીય દૂતાવાસે 'ઈરાનનો પ્રવાસ નહીં કરવાની' સલાહ કેમ આપી? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ATTA KENARE / AFP via Getty
ભારત અને ઈરાન વચ્ચે ફ્લાઇટ ફરી શરૂ થવાના સમાચાર વચ્ચે ઈરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે ટ્રાવેલ ઍડવાઇઝરી જારી કરી છે.
ભારતીય દૂતાવાસે ભારતીયોને ઈરાનનો પ્રવાસ ન કરવાની કડક સલાહ આપી છે.
દૂતાવાસે ઍડવાઇઝરીમાં કહ્યું, "ઈરાન અને ભારત વચ્ચે કેટલીક ઉડાને શરૂ થવાના સમાચારો જોતા અને પહેલાં જારી ઍડવાઇઝરીના ક્રમમાં ભારતીય નાગરિકોને સખત સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈરાનનો પ્રવાસ ન કરે. પછી તે હવાઈ માર્ગ હોય કે જમીન."
દૂતાવાસે કહ્યું, "ક્ષેત્રીય તણાવને કારણે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો તથા પરિચાલન સાથે જોડાયેલી અનિશ્ચિતતા હજુ પણ ઈરાનમાં આવનારી તથા જનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને પ્રભાવિત કરી રહી છે."
ભારતીય દૂતાવાસે એમ પણ કહ્યું છે કે જે ભારતીય આ સમયે ઈરાનમાં ઉપસ્થિત છે. તેઓ દૂતાવાસ સાથે સતત સમન્વય બનાવીને રાખે અને નક્કી કરેલા જમીનના રસ્તે ઈરાન છોડે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















