નવા બજેટ પછી કયા રોકાણથી વધુ ટૅક્સની બચત કરી શકાશે?

વીડિયો કૅપ્શન, નવા બજેટ પછી કયા રોકાણથી વધુ ટૅક્સ બચત કરી શકાશે ?
નવા બજેટ પછી કયા રોકાણથી વધુ ટૅક્સની બચત કરી શકાશે?

નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે લોકસભામાં બજેટ પેશ કર્યું. આ બજેટમાં મધ્યમવર્ગને મોટી રાહત આપવામાં આવી છે. ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તી અને વિકાસ દર પર ઊઠી રહેલા સવાલો વચ્ચે આ બજેટમાં અલગ અલગ વર્ગને રાહત આપવાની કોશિશ થઈ છે.

પહેલા વાત કરીએ કે શું સસ્તું થયું અને શું મોધું?

તો, એલસીડી અને એલઈડી પર લાગનારી 2.5 ટકા ડ્યૂટી હઠાવી લેવામાં આવી છે જેને કારણે ફોન, લૅપટૉપ, ટૅબ્લૅટ સસ્તાં થશે.

લિથિયમ બૅટરી પર છૂટ આપવામાં આવી છે જેને કારણે ઇલેક્ટ્રિક કાર, બાઇક અને મોબાઇલ ફોન સસ્તાં થશે.

બજેટમાં પીસીબીએ પાર્ટ્સ, કૅમેરા મોડ્યૂલ, વાટર્ડ હેડસૅટના રૉ મટિરિયલ્સ, માઇક્રૉફોન તથા રિસિવર, યુએસબી કૅબલ, ફિંગરપ્રિન્ટ રીડર, મોબાઇલ ફોન સેન્સરની કસ્ટમ ડ્યૂટીને સમાપ્ત કરી દેવામાં આવી છે.

સાથે વીમા ક્ષેત્રમાં 100 ટકા રોકાણની છૂટ મળવાથી વીમા પ્રીમિયમમાં પણ ઘટાડો થઈ શકે છે. કપડાં અને ચામડાંના ઉત્પાદનો સસ્તાં થયાં છે.

જ્યારે કે, ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લૅ પૅનલ(કંપ્લીટ બિલ્ડ) પર લાગનારી ઇમ્પૉર્ટ ડ્યૂટીને 10 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે જેથી પ્રીમિયમ સ્માર્ટ ડિસ્પ્લે મોંઘા થઈ જશે.

હવે જોઈએ કે બજેટમાં આપેલી છૂટથી તમારી બચત કેવી રીતે થશે?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.