ઈરાનમાં કાસિમ સુલેમાનીના જનાજામાં નાસભાગ, 40નાં મૃત્યુ અને 200થી વધુ ઘાયલ

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના સૈન્યના કમાન્ડર કાસિમ સલેમાનીના જનાજામાં નાસભાગ થઈ હતી.
આ ઘટનામાં અત્યાર સુધી 35 લોકોનાં મૃત્યુ થયાંની માહિતી મળી રહી છે અને 48 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સુલેમાનીના જનાજામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એ વખતે આ દુર્ઘટના ઘટી હતી.
સુલેમાની કેરમન શહેરીથી હતા. તેમના મૃતદેહને ઇરાકથી પહેલાં અહવાઝ, અને પછી તેહરાન અને હવે કેરમન લાવવામાં આવ્યો હતો. અહીં જ તેમની દફનવિધિ થનાર છે.
શુક્રવારે બગદાદમાં હવાઈ હુમલામાં ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની માર્યા ગયા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો




























