You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : જંગલેશ્વરમાં ફરી ડિમોલિશનનના ભણકારા, ઘર તૂટવાની નોટિસ મળતાં મહિલાઓેએ શું કહ્યું?
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક હજાર 350 કરતાં વધુ મિલ્કતધારકોને તંત્ર દ્વારા ડિમોલિશનની નોટિસ પાઠવવામાં આવી છે.
જેના કારણે સ્થાનિકોમાં ભવિષ્ય અંગે અનિશ્ચિતતા અને આક્રોશ જોવા મળે છે.
અગાઉ અહીંના મિલ્કતધારકોએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે અરજદારોને મહેસૂલ પંચ સમક્ષ કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેથી અરજદારોએ આ અપીલ મહેસૂલ પંચ સમક્ષ દાખલ કરી હતી.
જોકે, મહેસૂલ પંચ સરકારી જમીન ઉપર દબાણ હોવાથી અપીલ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી તેવો ચુકાદો આપ્યો છે, જેના કારણે હવે જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશન કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
જાણો સ્થાનિકોનું શું કહેવું છે. તેઓ સરકાર અને તંત્ર સમક્ષ શું માગણી કરી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન