ઈસુદાન ગઢવીના ગામ પીપળિયાના લોકોએ કેમ કહ્યું, "ઈસુદાનને કહી દઈશું કે તું અમદાવાદ જ રહેજે"
ઈસુદાન ગઢવીના ગામ પીપળિયાના લોકોએ કેમ કહ્યું, "ઈસુદાનને કહી દઈશું કે તું અમદાવાદ જ રહેજે"
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે માત્ર ત્રણ દિવસ જ બાકી છે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ઈસુદાનને મુખ્ય મંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે.
તેઓ ખંભાળિયાથી ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે અને તેમનું ગામ પીપળિયા ખંભાળિયા વિધાનસભામાં જ આવે છે. બીબીસીએ તેમના ગામના લોકો સાથે વાત કરી. રાજકારણમાં આવ્યા પહેલાં તેઓ પત્રકાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
તેમના ગામના લોકો તેમના વિશે શું કહી રહ્યા છે?
જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની વિશેષ રજૂઆત.