જૂઓ હાઈકોર્ટના ચૂકાદાને દિવસે ગોધરાના ફોટોગ્રાફ્સ

ગુજરાત હાઈકોર્ટે સોમવારે ગોધરાકાંડના આરોપીઓની સજા ફાંસીથી ઘટાડીને આજીવન કેદમાં તબદીલ કરી હતી

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન, ગોધરાના આ રેલવે સ્ટેશને વર્ષ 2002માં સાબરમતી એક્સ્પ્રેસના એક્સ્પ્રેસના એસ-6 ડબ્બામાં આગ લગાડવામાં આવી હતી જેમાં 59 લોકોનાં મોત થયા હતા આ ઘટનાના 15 વર્ષ બાદ ગુજરાતની સામાજિક અને રાજકીય સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે.

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન, હાઈકોર્ટે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની સજા ફાંસીથી ઘટાડીને આજીવન કેદમાં તબદીલ કરી છે

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન, હાઈકોર્ટેમાં આ કેસની સુનાવણીના દિવસે ગોધરા રેલવે સ્ટેશનની નજીક આવેલા સિગ્નલ ફળિયામાં સન્નાટો હતો. ગોધરાકાંડમાં સજા પામેલા મોટાભાગના આરોપીઓ સિગ્નલ ફળિયામાં રહેતા હતા

ઇમેજ સ્રોત, Daxesh Sha

ઇમેજ કૅપ્શન, આ કેસમાં સજા પામેલા દોષિત રમઝાની બિન યામીન બહેરાનો પરિવાર હજી સિગ્નલ ફળિયાના એક મકાનમાં રહે છે

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન, આ બિલ્ડિંગના એક રૂમમાં સમગ્ર ઘટનાનું કાવતરૂં ઘડાયું હોવાનું કહેવાય છે

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન, સિગ્નલ ફળિયામાં સોમવારે સન્નાટાનું વાતાવરણ હતું, પણ હાઈકોર્ટના ચૂકાદા બાદ સજા પામેલા દોષિતોનાં પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન, છેલ્લાં પંદર વર્ષથી સિગ્નલ ફળિયું સમયાંતરે સમચારોમાં પામતું રહ્યું છે અને દોષિતો સિવાયના અહીંના રહિશોએ સતત મીડિયાની અવરજવર અનુભવી છે