પહલગામ હુમલામાં જીવ ગુમાવનાર લેફ્ટનન્ટ વિનય નરવાલના પિતા પુત્રને યાદ કરીને શું અપીલ કરે છે?

વીડિયો કૅપ્શન, Pahalgam Attack : Lieutenant Vinay Narval ના પિતા પુત્રને યાદ કરી શું બોલ્યા?
પહલગામ હુમલામાં જીવ ગુમાવનાર લેફ્ટનન્ટ વિનય નરવાલના પિતા પુત્રને યાદ કરીને શું અપીલ કરે છે?

22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. હુમલામાં જે લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં સૈન્ય અધિકારી વિનય નરવાલનો પણ સમાવેશ થાય છે.

સૈન્ય અધિકારી વિનય નરવાલનો પરિવાર હજી પણ એ આઘાતમાંથી બહાર નથી આવી શક્યો.

આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. જેના જવાબમાં ભારત સરકારે ઘણાં કડક પગલાં લીધાં હતાં. પહલગામ હુમલા માટે ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું અને પરિણામસ્વરૂપે સિંધુ જળ સંધિને મોકૂફ કરી દીધી હતી તથા અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી હતી.

પીડિત પરિવારે પોતાના પુત્રને યાદ રાખવા માટે કોઈ સ્કૂલ કે હૉસ્પિટલનું નામ તેમના પરથી રાખવાની અપિલ કરી છે.

ઇમેજ કૅપ્શન, વિનય નરવાલના પિતા રાજેશ નારવાલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન